Pages

शारदा स्तुति

 

जय शारदे माँ ,जय शारदे माँ , 
अज्ञानता से तू तार दे माँ ! 
स्वरों की महारानी तू है मैया ,
सुर की किलकारी तू है मैया ;
कृपा कर के मृ दु-स्वर दे दे मैया ,
गाऊं  स्तुति तेरी ले ले के बलैया ---जय 

लिखुँ  गाथा ,तेरी दया से मैं  मैया ,
कवित भी  सुनाऊँ तुझे शारदे माँ ! 
तेरी छबि मेरे दिल में उतारू मैं  मैया ,
सदा गुणगान तेरा गाउँ  मैं  मैया ! ----जय 

सम्हालना  मुझे , यदि भटक जाऊँ ,
डगमगती  मैं , कछु लीख  ना पाऊँ ;
"बेला" के चमन में तेरा सरवर  है ,
धवल कमल ये लहरा रहा है ,
भृंग वीणा गुंजन गुन गुना  रहा है ;
ह्रदय मेरा , तेरा नाम जपता रहता है | 
                            १ दिसंबर २०२३ \ ८. ५ ए ऍम  

व्रज लागे अति नीको

 




 

सखी रि , ! मोहे व्रज लागे अति नीको ,
मिले जहाँ  श्यामसुंदर दरसन अति मीठो ! 
कुंजवन की गलियां में , बंसी नाद घेरे नैनन को ;
झूले राधा संग कनैयो , मधुर मधुर मुस्कातो !
झूमे "बेला" होले  होले  , पेखी  , रसिक रंगरातो ! 
प्रणमे  राधावर को ,थामी हिरदय  हरष   को |  
                                      १९ दिसंबर २०२३ \८. ए  ऍम

तकती डगर

 



  

तेरे बिना नहीं जी सकती मैं ,
कब तक राह तके  बैठी रहुँ  मैं ?!
जुदाई अब बरदास ना कर सकूं  मैं ,
भेज बुलावा की चिट्ठी, सज तैयार हूँ मैं ;
गले लगालो अब तो , थक चुकी हूँ मैं ,
"बेला"हार लिए डगर तकती  हूँ मैं | 
                         १९ ऑगस्ट २०१९ \८. ५ पि एम 

नई साल

 


 



नये  साल में नयी उमंगें, नया स्वप्न संसार,
नवल नवल सब शुभ शुभ हो, कृपा तेरी करतार !
द्वेष-राग, रोग से परे ,शांत मन बहे संसार ,
"बेला" चाहे, सृस्टि में हो ,सुगन्धि, प्रफुल्लित बहार ! 
                                           १० नवम्बर २०२३ \11. ० ए एम्  



દીવો









ભીતર દીવો શગે બળે ,થર થર કંપતો જાય ,
કાયાના આ કોડિયે ,તડો  તડ તડ થાય ;
જીરણ દેહ તો ડગમગે, ધરૂજે  આ કર -પાય ,
શામળા! તું નથી અણજાણ ,જરાય ,
તારે ભરોસે હું બેઠી, થવાનું હોય તે થાય ! 

આરતી થાળ સજાવ્યો, ધૂપ, "બેલામાળ " સાથ,
કાં આવો, કાં  બોલાવો, તો થાય જય જયકાર ! 
                                        22 ઓગસ્ટ 2019 \11.20 પી એમ 

વહયા વર્ષો



વહ્યા વર્ષો, હવા સાથે ,
વહયા વર્ષો, તુફાં  સાથે ;
વહયા વર્ષો,આંધી સાથે,
વહયા વહયા બસ વહયા જ !

ક્યારેક ઊડ્યાં  ખુશ્બૂ  સાથે , 
ક્યારેક રડ્યાં  તોફાનો સાથે;
ક્યારેક ઝઝૂમ્યાં  આંધી સાથે,
વહયા વર્ષો ખેલતાં  ભવસાગર સાથે !

લડી, નાવડી થાકી,મઝધાર સાથે,
છોડી હલેસાં , બેઠી, વિશ્વાસ સાથે ;
આવશે શામળો ,એક સ્મિત સાથે,
તારશે નાવ, સાહીને હાથ, હાથ સાથે ! 

ખીલશે "બેલા", આનંદી મહેક સાથે ,
ફેલાવશે ફોરम  શાંત અનિલ સાથે ! 
                        8 નવેમ્બર 2023 \4.25 પી એમ 

તારા વિના શ્યામ

 










તારા વિના હું એક ન મારૂં  પલક  ,શ્યામ !
રહી બેઠી દિનરાત,રટતી તુજને શ્યામ !
વિણ  કૃપા તુજ, થાય ક્યાં કાંઈ કામ ? શ્યામ!
"બેલા"ડોલે, પર્ણે  પર્ણે ભરી શ્વાસે , તુજને શ્યામ !
                                         3 નવેમ્બર 2023 \ 8.45 એ એમ  

તલાશ

  

ઘાટના ઘડવૈયા, તારી, હૈયે તલાશ છે ,કાયાના આ કુંભમાં  શું ભરવું?, એની તલાશ છે .
જપનું અમૃત ? કે કાંકરથી  ફૂટવું? તલાશ છે ,મિલનની ઘટના માટે રટણાની તલાશ છે .
મીરાં  નરસિંહ,પ્રહ્લલાદ જેવી રટની  તલાશ છે. તલાશ છે ,તલાશ છે ,તલાશ છે .
"બેલા" તો ઉગી જાણે  ,
એને તુજ મહેકની તલાશ છે ,અનિલ સંગે વહી , ઉડી , તુજ મહેલની તલાશ છે .
                                                                          25 એપ્રિલ 2022
                                                                              7.20 એ એમ 

મિરાત

  

શામળાજીનું નામ મારી મોટી મિરાત ! તારામાં પામું હું તો મસમોટી નિરાંત ! 
તારા નામ સાથે સંધાયા મારાં દિનરાત ! તારું રટણ એ જ મારી મિરાત ને નિરાંત ! 

ફૂલ ઉપરની ઝાકળ પરે  ,તું કરે તારો સાથ ! ને રાતરાણીની સંગે વહે તુજ મદિર સુવાસ ! 
પંખીના ટહુકામાં ય તે તારો જ વસે સાદ ! અને અદ્રશ્ય વાયુમાં ય તારો જ આવાસ ! 

નામ તારું રહે વહેતુ, પંચભૂતને એકાંત ! શામળા તારું નામ-રટણ  "બેલા"ની મોટી મિરાત ! 
                                                                                 24 એપ્રિલ 2022 
                                                                                     3.07 પી એમ 

प्रणाम


 
 जय नन्द नन्दन  तुझे प्रणाम ,यशोदा नन्दन  तुझे प्रणाम -जय नन्द.... 
पूतना उद्धारक तुझे प्रणाम, असुरों के तारक तुझे प्रणाम-जय....जय। ... 

माखनचोर तुझे प्रणाम,ग्वालसखा हे तुझे प्रणाम ,
चीरलीलामय तुझे प्रणाम,गोपी मन मोहन तुझे प्रणाम 
गोवर्धनधारी तुझे प्रणाम ,मोरपिच्छ धर  तुझे प्रणाम-जय। ... 

राधा के श्याम तुझे प्रणाम,बंसीधर नटवर तुझे प्रणाम ,
कंस विनाशक तुझे प्रणाम ,कुब्जा के सुंदिरवर तुझे प्रणाम-जय। ... 

रणछोड़ नीतिधर तुझे प्रणाम ,द्वारिकाधीश तुझे प्रणाम ,
अर्जुन के गुरु तुझे प्रणाम, भगवद गीताचार्य तुझे प्रणाम --जय। .... 

वसुदेव नन्दन तुझे प्रणाम ,देवकी के प्राण तुझे प्रणाम ,
जय जय कान्हा तुझे प्रणाम, राधा रमण  श्याम तुझे प्रणाम --जय.... 

"बेला"के श्याम तुझे प्रणाम, शरण तेरी श्याम तुझे प्रणाम;
शरणागत श्याम तुझे प्रणाम ,जय जय जय  श्याम तुझे प्रणाम (३)
                                                               २ ओक्टोबर २० २३ 
                                                                   ३. २० ऐ एम

વિનવણી

  


થાકી ,એનાં એ જ કાર્ય, એની એ જ દોડથી 
મારું-તારું કર્યામાં ,હું રોજ ગઈ ભાંગતી ! 
કર્મ-અકર્મ-નિષ્કામ કર્મ શું ?ન જાણતી 
હું અજ્ઞાની,પરમ શ્રેયને જાણવા માગતી .

ઓગાળો, મારા "હું"ને, આપી જ્ઞાન સુરભી,
જે ફેલાય ,"બેલા"ના ,ઊંડે મૂળ સુધી .
                                       2 ઓક્ટોબર 2023 ,11.45 એ એમ 

શૂન્ય

  


એક તો છે  એક ,માત્ર એક છે બ્રહ્મ,
માનવ જો બ્રહ્મને ભૂલે, તો બને શૂન્ય ;
શુન્ય કિંમત વિનાનો , પણ , જોડાય જો એક સંગ --
બને દસગણો ,ને ,પામે પરમાનંદ ! 
                                     21 સપ્ટેમ્બર 2023 , 11.15 એ એમ 

જન્મદિન નિમિત્તે



 વ્હાલાજી રે ,માનું આભાર તમારો ,તારી, આટલી ,એમ જ ભાવિમાં ય તારો ,

નમું તમને ,ઝંકારી અંતર મનનાં  તારો ,જોઉં વાટડી, ક્યારે સંધાય આપણા તારો ! 
                                             "બેલા" જન્મદિન નિમિત્તે 
                                                       25 સપ્ટેમ્બર 2023 ,10.40. પી એમ 

ગનાન

  


 

ગનાન સાગરમાંથી કળશ્યો રે ભરીયો ,
ચાંગળુંક રસપાન કીધું રે ..
હે ...આતમ જ્યોતનો દીવડો ઝગીયો ,
ને ઝબકારે મન વીંધ્યું રે ....
સાત કરમને મારગે ડગ છે ભરિયો ,
ને માયા ભરમનું તૂટ્યું જાળું રે ....
મારા તારાનો  ભેદ રે છૂટ્યો ,
સહુમાં એક પરમાણુ રે ....

"બેલા"નો ફોરમી વાયરો વાયો,
જગ રસ તરબોળ ભાળું રે ....
                         29 સપ્ટેમ્બર 2023 , 8.00 એ એમ 

દર્શન ક્યાં ?



રાધે ! તારું દર્શન ક્યાં ?, તું તો માધવની  મનોમૂર્તિ  ! 
તારું નામ ભાગવતમાં ક્યાં ,?તું તો આનંદ સ્વરૂપમૂર્તિ ! 
અસલ માધુર્ય મૂર્તિ ! રાધે ! ,તું તો હરિ અંગની પ્રકાશ મૂર્તિ ! 

કલ્યાણી,મધુરા ,મંગલ મૂર્તિ !, જેના વિણ હરિ આધા, તે રાધા ! 
ધીરા ,ગંભીરા ,ક્ષામ્ય મૂર્તિ !,
ના કોઈ તારું નામ ઉચ્ચારે ,ના કોઈ તારું રૂપ વર્ણવે ! 
સંકેતોથી તું સમજાણી,એવી હે રાધે ! 
"બેલા"ની તું ,હરિ-મિલન મૂર્તિ ! 
                                     30 નવેમ્બર 2022
                                                5.00.પી.એમ .

स्वागत

  


आइये गणपति गजानन ,उमापति शिवजी के नंदन ,
मात गौरी की गोद  सुहावन, भक्तजनों के हे भीड़ भंजन ! 

एक दन्त चतुर्भुज सुंदर ,काँधे भुजंग उपवीत धरन ,
मूषकराज हे भय विनाशनन ,पधारिये मुज रंक  के आंगन !

कीरिट  हार शोभित रत्न कुंडल ,प्रभावी सूर्यसम प्रकाशधारण ,
जसुद-दूर्वा मोदक से रंजन,नमामि चित्तरंजन गजानन | 

,विरंचि विष्णु, शिव, करे तव  स्तवन ,निरंतर सुरासुर करे तुझे वंदन ! 
नमन तुझे वक्रतुण्ड गजकर्णन ,मुक्ति देत  लम्बोदर ,तोड़ी बंधन ! 

अनन्य भक्तिभाव से मंजुल रव , उतारे आरती,गंध-धुप संग ,
"बेला" हरषी ,पा के  तव  दर्शन, सदा रो अमिभरे  तव  नयन ! 
                                                             ११ सप्टेंबर २०२३ 
                                                                   १२। १५ दो पहर 

गंगा सागर

  


नीसरी है वो , पिता पर्वत की गॉद से ,
झरझर झरती ,कूदती ,फुदकती अल्लड  मौज से ;
छोटे मोटे  पत्थर से टकराती , इतराती नर्तन से ,
बह  चली फिर धुँआधार धोध  के रूप में --
गिरी, कंदरा से , कण कण में मेघधनु समाये ,
सुंदर ,मन लुभावन, अ प्रतीम दृश्य बनाते ;
मुनिजन देखें ब्रह्म ,हर बून्द बून्द में ,,
कविगण कविता में क्या क्या चित्र बनाये ! 

सरती चली ,अन्य सहेलियों के संग में ,
दौड़ी कलकल करती ,औ " लिपटी धरती माँ की गॉद  में ;
ओढी चुनरिया पत्र-पुष्प, पूजन के शृंगार से ,
चली रुणझुणती , शर्मीली अभिसारिका उमंग से | 

समा गई , प्रियतम सागर की उत्स्फुरित लहरों में ,
देख "बेला" हरषी ,पवित्र पावन गंगा सागर के मिलन से | 
                                                       १४ ऑगस्ट २०२३ 
३. ०० ए  ऍम 

बहाव

 


 

फूल की खुश्बू  आखिर अत्तर में मिल जाती है ,
सुर ताल की सरसर आखिर वायु में मिल जाती है ;
स्वर की कलकल और अत्तर की खुश्बू  हवा में सरसराती है ,
                            और 
हवा कभी रूकती नहीं ,थमती नहीं ,
हमेशा लहराती  बहती जाती है | 
                                  ६ फेब्रुअरी २०२२ 
                                      ९. ३० ए ऍम 

मेहफिल

 


 

ये मेहफिल है धड़कते दिलवालों की ,
ना समज़ना इसे कोई अनजानों की ;
मिलन है प्यार के नग़मे गानेवालों की ,
बसंत हो या होली, दिल से  खेलनेवालों की ;
ख़ुशी है मुझे ये मेहफिल पाने की ,
दिल महक उठा, खुश्बू  पा के "बेला" की | 
                                        ४ फेब्रुअरी २०२२ 
                                             ३. ०० पि एम 

विनती

   


मैं  तो उड़ रही ,"कल्पना" की पंखों  पे ,
"रामजी " से मिलने की आस में ;
"बेला" फूल लाई  चोंच में ,
हे प्रभु ! ये चिड़िया को ले लो गॉद  में ! 
                                   ३१ ऑगस्ट २०२३ 
                                           ८. ०० पि एम 

मंजरी

  


वृक्ष वृक्ष पे डार  डार पे ,खील उठी है मंजरी ! 
अलिगण की गुंजन भी मत्त ,बजा रही खंजरी ! 
बन बन घूमी , फोरम के  संग,देखो, ये मंजरी !
सौरभ तंतु  से बंधी हुई, झूल  रही ,वल्लरी ! 
                                          २७ ऑगस्ट २०२३ 
                                               ११। ०० ए ऍम 

गर्व

 


गर्वित है मेरा भारत हर्ष सभर ,
गर्वित है "इसरो " चंद्र पथ चलकर ;
गर्वित है ये "विक्रम" वो "विक्रम" पर,
गर्वित है चंदामामा  भांजे को पा कर ;
गर्वित है "सोमनाथ" पहुंच सोम पर ,
गर्वित है "बेला" भारतीय होने पर ! 
                               २३ ऑगस्ट  २०२३ 
                                             ७. ०० पी  एम 

नमन

  


नमो नमो गिरिधारी प्यारे ,
श्यामसुंदर कमलनयन कारे ;
बंसीवट पे बंसी बजावे ,
गोपियन के संग रास रचावे ;
जसोदानन्दन के दुलारे | 
                         १६ अप्रैल २०२३ 
                            ७.४५  ए एम

गुरु वन्दना

   


वन्दन  हो गुरु चरणों में तव ,
जिसकी छाँवमे खिला ये जीवन ;
तिमिर भरा जीवन था  गुरुवर ,
ज्ञान-प्रकाश  दिया तेजोमय | ....वन्दन 

भये वीतरागी,हुए अ संग ,
षड-रिपुओं का हुआ है खंडन ;
धारा प्रेम की बहाई पावन | वन्दन। .. 

राग रागिणी  सिखाई सुर संग ,
ताल सिखये, मधुर तरंग  संग;
तोम तनन  तोम तदारे  तनननन | 

योग साधना प्राणायम संग,
आसन विविध ,बनाये दृढ  ये अंग,
ध्यान-धारणा  दिए परमानद | वन्दन। ..... 

आरती करूं नमन सह गुरुजन ,
धुप-दीप और "बेला" के फूल संग;
भाल  लगा दो, आशीष का चन्दन | वन्दन.... 
                                          २२ जून २०२३ 
                                                १२. ४५ दो पहर 

જ્યોત

  


સ્વયં પ્રકાશિત આત્મ-જ્યોતની શગને -
નીરખી  લે, ચૂમી લે , એ દિવ્યતાને ;
સમાવ , એ જ્યોતને મસ્તક પર, અંતરંગને ,
બ્રહ્મોપાસનાથી પામીશ તું એ પરબ્રહ્મને ! 
                                      ???         

કાનો કાળો શાને ?



મનમાં ઉભરી એક શંકા ,
નંદ-યશોદા ગોરા,કા'નો કાળો કાં ?

મા  પૂછે લાલને , આવું બન્યું કાં ?
લાલો બોલે ," જનમ ટાણે તું સૂતી રહી કાં ?
અંધારું ફરી વળ્યું , અંધારે હું આળોટ્યો, હાં ,
અંધાર-કાળખ  ચોંટી ગયું ને બન્યું તન કાળું હાં .

પણ, એકનાથજી કહે ના ના , 
માનવ હૈયું છે કાળું ,પણ,  સ્મરણ કરે જે રૂપાળું ,
કાનજી ખેંચે કાળખ  હૈયાની, 
થાય તેથી એનું રૂપ કાળું ! 

ગોપી વિચારે, રાખીયે અમ નયનમાં ,
આંજીએ કાજલ કાળું અમ  નયનમાં ,
કાળાશ લાગી એને, રમી ગયા આમ નયનમાં ! 

                         પણ 
શું બોલ્યો હૃદયેશ્વર  ક્ન્હૈયો ?
રાધે , તારું રૂપ વધારવા ,
શોભા તારી ને માન વધારવા;
હું થયો કાળો.  સૌને ભરમાવવા !
                               તો 
કૌરવ-સભામાં વદે  છે , કૃષ્ણરાય,
બનીને આવ્યો છું, તમ સૌનો કાળ;
તે કાળ-સ્વરૂપ છે ,આ મારો શ્યામ રંગ હે રાય ! 
                         હું કહું 
મારો શામળો ,કાળો કે ગોરો,
સ્મરણે રમ્યો, ને રગે છે દોડ્યો  ;
"બેલા" વલ્લરી ઝાલીને ઝૂલ્યો,
ફેલાવે ફોરી આનંદી લહેરો !   
                         18 મે  2023
                              10.50.એ એમ 

कैसे ?









मेरे कान्हा ! तुम्हें अब रिझाऊ  कैसे ?
कोई रास्ता नहीं ,तेरे पास आऊं कैसे ?

बन गई चाल मेरी,जग-हंसी का कारन ,
उन्हें मेरे दिल के ये , हालात  समझाऊँ कैसे ?

फिरती हूँ मैं  लिये ,टुटा फूटा ये मन,
चહેરે  से मैं वो निशाँ को मिटाऊं कैसे ?

दिल में लगी ये आग ,बुझाऊँ  कैसे ?
कृपा सिंधु ,तेरे बिंदु पाऊं तो पाऊं कैसे ?

क्या ख़ता  हुई है , जो बदली है रुख़ ,
"बेला" की महक ,तुज तक पहुंचाऊं कैसे?
                                   २ / मई /२०२३ 
                                        ७. ए  एम् 

પ્રવાહ



શિવ મસ્તકેથી નીસરી, બની કલ્યાણમય    પ્રવાહ .
મલિનમનને ધોવા, ધર્યું નામ, ગંગાનો  પ્રેમ   પ્રવાહ.
તન ભીતર પણ વહે , એક, અણદીઠો પ્રેમ  પ્રવાહ .
રગ મહીં દોડે, રક્ત બની એ પ્રભુનો પ્રેમ     પ્રવાહ .
અટકે તનમન કરતાં કર્મ,જો ખૂટે ખટકે એ   પ્રવાહ .

રસના રટે રામ નામ, રસ અર્પે એ જ પ્રેમ   પ્રવાહ .
આ જ છે ગંગાતીર્થ, બનું કૃતજ્ઞ ,પામી  પ્રેમ પ્રવાહ.
"બેલા" પામે સ્નાન, મેળવી ઝાકળ બિંદુસમ પ્રવાહ . 
                                                   19\4\2023 
                                                        2.50 પી.એમ.

બંધન



નિયમ બંધનથી સૂગ શાને ? 
જરા નજર ફેરવો , તો એ નિહાળે .

દેખો વૃક્ષને , ટકે  ગ્રહી ઊંડા મૂળબંધને ,
નદી ,વીંટળાઈ વહે , ના છોડે કિનારાને ;
વીણા  તો સૂરમાં રણકે , બંધાઈ સંગ તારને ,
કુદરતે રચ્યાં આ બંધનો, સમજાવવાને .

જીવનરથ દોડે,લગામે બંધાઈને,
"બેલા"ઝૂલી વળગી ,યમનિયમની વલ્લરીને .
                                       18\4\2023 
                                           10.40 એ. એમ .

અણબુઝી કુદરત

   

વાસંતી વાયરા ને વરસાદી માહોલ,
વચમાં ઊઠે  કાંઈ ઉનાળુ બપોર ! 
કુદરતને ફેરવી ! શી વૈજ્ઞાનિક શોધ ! ! 
સ્પુટનીકો   ગાયે આકાશે ,કાંઈ ધોળ  ! 
બિચારાં વૃક્ષ ! ના સમજી શક્યાં આ તોલ ! 
ખીલવું કે નહીં ?! ના રહયાં સમતોલ. 
ક્યાંક પર્ણો  ને ક્યાંક સુકાં  ઝોલ ! 
"બેલા" વિમાસે , ક્યાં લઇ જાશે માનવીની આ અવિરત ખોળ  ? ! ! 
                                                          12\4\2023 
                                                                2.40 પી.એમ. 

नमो नमो (पायोलिया झनकारी )

 


---नमो नमो गिरिधारी प्या---रे---
श्याम सुंदर , नयन मतवारे --- नमो नमो --

बंसी--वट पेनसी बजा-वे---
गोपियन के/ संग रा--स रचावे 
जसोदानंदन के---दुलारे ----
नमो नमो गिरिधारी प्या--रे---
                                   १५\४\२०२३ 
                                       ११. ४० पि.एम 

खो गई


---तेरी गली कहीं पे खो गई ! 

---मोरे श्याम! मै  रास्ता भटक गई ! 
---कहाँ तो रोज़ रोज़ तुझ से बात करती थी , 
---कब कैसे रास्ता चूक गई ? ! 
---बातें  अब भूतकाल हो गई ,
---लहराते वो दिन खो चुकी। 
---तेरी से लहरी से जो थी महकती ,
---वो "बेला" अब अरे ! सुखी हो गई ! ! 
                                          ७\४\२०२३ 
                                            १. पि.एम्. 

નવનીત



---પ્રભુ ! આરોગો આ નવનીત ,
---વલોણા વલોવ્યા ,કરી કેટલાં યે  કર્મ ;
---અંતે ઉભરી આવ્યું આ નવનીત ! 
---સ્વીકારો પ્રભુ ! થઇ આનંદિત ! 
                                    3\4\2023 
                                       10.30. એ.એમ. 

રે! મન !


---રે ! મન ! આ શું દુ:ખ?! આ શો કચવાટ ?! 
---સુખ દુ:ખ તો દેહના લેખ, એનાં તે શાં આ વલખ ?! 
---માટીના શાં નિભાવવા સંગ ? રંગાને આતમને રંગ ! 
---એ અનંત અવિનાશી સંત, પામવા એને રાખીને ખંત ! 
---કડવા મીઠા ડાકલા રણંત ,છોને વગાડે જગના જંત ! 
---નટ તો નાચે નિજાનંદ, મેલી આઘે સઘળાં  તંત ! 

---તારે બાગ  "બેલા"વેલ ઝૂલંત, ફોરમ  ફેલાવ એની ચતુરંગ ! 
---મીઠાં મધુર નામ રટન્ત , વળોટી જા બની ખમીરવંત !
                                                  10\04\2023 
                                                       8.45 એ.એમ

સાથ હરિનો

 



---હરિ ! તને શું કહું ? તારે હાથ મારું જીવન ,
---મોહથી કરે તું દૂર , નિરાશાથી ભગાવે મન .
---થાય અંધારું તારા થકી દૂર, પરમ-પ્રકાશે ઉજળે ઘન ,
---તુજ કૃપાએ મારું નૂર , વીણ   તારે હું છું હીણ ! 
---સંપત્તિ  કરે તુજથી દૂર,વિપત્તિ લાવે ભીતર ,
---ગણું સંપત્તિને  વિપત્તિ, વિપત્તિ લાવે મનનું હુર ! 
---પ્રેમથી મારે ચાબુક, થયે ભૂલ, ખેંચી લગામ, ઇન્દ્રિયોને તુણ !
---ગમે તારું રૂપ,જે  સોહાવે આ જીવન વેલ,
---"બેલા"ફૂલ મ્હેકે ,તુજ સંગે, રાખી તુજને ઉર ! 
                                            27\12\2022
                                                11.15 એ.એમ.

ગીતા સ્ટડી ગ્રુપ-કેનેડા-વક્તવ્ય-7-12 માર્ચ 2023-અધ્યાય-2-શ્લોક-16-17-18

 


        જય  શ્રી કૃષ્ણ .
હતાશ થઈને બેઠેલા અર્જુનને ફરી સ્ફૂર્તિવાન બનાવવા માટે કૃષ્ણ એક મનોવૈજ્ઞાનિક તરીકાથી ચિકિત્સક બની , તેને ઝંઝોરવાના પ્રયત્નો શરૂ કરે છે . અત્યાર સુધી તેમણે  દેહ અને દેહી, એટલે કે શરીર અને આત્મા વિષે કહ્યું .હવે નિત્ય અને અનિત્ય વિષે કહે છે . 
     પ્રાણી માટે , જન્મ પહેલાંની સ્થિતિ અજાણ છે , અપ્રગટ છે .અને જન્મ પછીની- મૃત્યુ પછીની - પણ અજાણ -અપ્રગટ- છે . જેનું અસ્તિત્વ છે ,તેનો અચૂક નાશ છે . શરીર ઇન્દ્રિયો દ્વારા સુખ-દુ:ખ, ગરમ ઠંડુ  વિગેરે અનુભવે છે ; પણ આગળ જણાવ્યા પ્રમાણે શરીર-દેહ અને આત્મા-દેહી જુદા છે ,તેથી આ બધું આત્મા ને સ્પર્શતું નથી . ઉલટાનું આત્મા તો નિત્ય-અનિત્ય જાણીને-સમજીને શોક કે મોહમાં નથી ઘેરાતો .આ , નિત્ય- અ -વિનાશી અને અ -નિત્ય -ક્ષણભંગુર વિષે સમજાવવા, કૃષ્ણ ,16માં શ્લોકમાં વાત કરે છે . "ન + અસતો " =નશ્વર વસ્તુનું ,"ભાવ:"=હોવાપણું કે અસ્તિત્વ ,"ન વિદ્યતે "=નથી જણાતું . એટલે કે નશ્વર વસ્તુનું હોવાપણું અસ્તિત્વ  હોતું જ નથી .ભલે દેખાય પણ એ આભાસ માત્ર છે . તે તો નાશ પામે છે .અને , તે જ રીતે "સત"= નિત્ય-અ વિનાશી વસ્તુનો "અ ભાવ:" =ન હોવાપણું એટલે કે એ નથી એવો ભાવ-લાગણી-હોતી નથી ન.અ સત વસ્તુના-નશ્વર વસ્તુના હોવાપણાનો; અને "સત "=અ  વિનાશી વસ્તુના ન હોવાપણાનો કદી નાશ થતો નથી . અર્થાત, અસત  વસ્તુ , જેવી કે દેહ, સુખ-દુ:ખ, સૂકું-ભીનું,ગરમ-ઠંડુ, જાડુ -પાતળું, આ બધું અ નિત્ય છે ; સદા રહેતું નથી .જે રીતે મોબાઇલ ફોન એક ને એક મોડેલ નો કાયમ રહેતો નથી, કપડા અને તેની ડિઝાઇન , ઘરેણાં  , આ બધુ બદલાય છે;તે અ સત  છે તેથી , તેનો .સત ઉપર -આત્મા ઉપર કોઈ પ્રભાવ કે તેની સત્તા નથી . આવાં  ,ઇન્દ્રિયોના અનુભવ આત્માને કાંઈ પણ અસર કરી શકતાં  નથી . અસત  કે મિથ્યા વસ્તુનું અસ્તિત્વ કે ભાવ -હોવાપણાનો ભાવ થતો નથી . ;તેમજ સત નો -આત્માનો ન હોવાપણાનો ભાવ- તેના વિષે અભાવ થતો નથી .આત્માના અસ્તિત્વ વિષે નકારાત્મક ભાવ થતો નથી . માટે જ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે સામાન્ય રીતે "તેના આત્માને શાંતિ મળો " એમ કહીયે છીએ . તે વ્યક્તિને માટે નથી બોલતા . માટે આત્મા શાશ્વત છે , સત  છે તે સ્વીકાર્યું છે . 
        સતનો  સામાન્ય અર્થ છે ; જે અવિનાશી છે તે , જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં રહે છે તે ,જે દેશ, કાળ અને વસ્તુથી મુક્ત છે તે સત  છે. તેનો કદી અભાવ હોતો નથી . અસત  અર્થાત ,જે કાંઈ દેશ,કાળ અને વસ્તુથી બંધાયેલ હોય તે . જે આ બધા સાથે પરિવર્તન પામે -નાશ પામે તે .
        આગળ વધતા સત  શું છે તે સમજાવે છે . "યેન ઇદં "=જેના વડે આ ,"સર્વમ "=બધું ,"તતમ "= વ્યાપ્ત થયેલું છે ,"તત "=તેને "તું"= તો "અવિનાશી વિદ્ધિ "=અવિનાશી જાણ .અને "અસ્ય "=એ , "અ વ્યયસ્યૈ  "=અખંડના- અવિનાશીના ,"વિનાશકાળ " =નાશનો , "કરતૂમ"=કરવા માટે ,"કશ્ચિત" =કોઈ "અર્હતિ "= યોગ્ય ન થી ; એટલે કે , જેના વડે આ જગત વ્યાપ્ત થયેલું છે , તેને તું અવશ્ય રીતે અવિનાશી જાણ ; અને એ અવિનાશી એવા અખંડ બ્રહ્મનો નાશ કરવાને કોઈ પણ યોગ્ય નથી . અર્થાત, એ કોઈનાથી પણ નાશ પામી શકે એવું નથી . 
     શ્લોક 18 ."નિત્યસ્ય "=નિરંતર અસ્તિત્વવાળા , "અનાશીન"= નાશરહિત ,"અ  પ્રમેયસ્ય"= અનુમાન કે પ્રમાણોથી , એટલે કે દાખલાઓથી ન પામી શકાય --જ્યોમેટ્રીમાં પ્રમેયને દાખલાઓ સાથે સિદ્ધાંતને પુષ્ટ કરવાનો હોય છે - ઇતિ સિદ્ધમ , કહીને એમ જ અહીં , સતને -આત્માને કોઈ પ્રમેય- દાખલો આપી એનું સતીત્વ સિદ્ધ ન કરી શકાય એવો કહ્યો છે .પ્રમાણપત્રની જરૂર નથી . એ "અ  પરિચ્છેદય "= જેનું વિભાજન ન કરી શકાય તેવા ,"શરીરિણઃ" આત્માના ,"ઈમે "= આ ," દેહાહા"= શરીરો --આત્માએ ધારણ કરેલા શરીરો -"અંતવત:"= નાશવન્ત ,"ઉકતા:"-=કહયા છે .હે ભારત- અર્જુન, "યુદ્ધસ્વ"= તું યુદ્ધ કર . શ્લોકનો ભાવાર્થ  છે; નિત્ય, નાશરહિત  અને  કોઈનાથી પણ માપી ન શકાય , કોઈ પણ માપમાં લાવી ન શકાય તેવા ,આત્માના આ બધા શરીરોને નાશવન્ત કહેવામાં  આવ્યા છે . અર્થાત, પ્રાણીમાત્રના જે દેહો છે ,તે , કાળાંતરે નાશ પામવાના જ છે . માટે તું શોકનો ત્યાગ કર અને યુદ્ધ કરવા ઉભો થા. 
          આની પહેલા દેહ અને દેહી આત્મા અને શરીર વિષે જે કાંઈ કહેવાયું હતું તેને બીજા શબ્દોમાં કૃષ્ણ આ 3 શ્લોકમાં ,અભ્યાસ માટે ફરીથી કહે છે . શરીર જન્મ પહેલા પણ નથી અને મૃત્યુ પછી પણ નથી , અને વર્તમાનમાં પણ, તેનો પળેપળ  નાશ થતો જાય છે , તેનું અ સતીત્વ- તેનો ભાવ નાશ પામતો જાય છે . એટલે કે આ શરીર વિષેનો જે ભાવ છે, ધારણા છે , મમત્વ છે ,તે , ત્રણે કાળમાં કદિ  સ્થાઈ નથી; તેથી તે "અસત " છે . એ જ રીતે સંસાર પણ અસત -મિથ્યા છે . તેના ભાવ વિશેનો- અસ્તિત્વ વિશેનો ભાવ અસ્તિત્વમાં નથી . શરીર કે સંસાર બન્ને ત્રણે કાળમાં  અસ્તિત્વ ધરાવતાં નથી માટે તેની સત્તા પણ નથી અને ભાવ પણ નથી ,તે જાણી લેવું જોઈએ .
       દેહ નષ્ટ થયા પછી પણ દેહી-આત્મા- તો રહેશે જ અને શરીર-દેહ - ભલે પરિવર્તન પામે છતાં દેહી- આત્માનું તો એ જ અચલ, અવિનાશી અસ્તિત્વ જ રહે છે ; માટે એ સત  છે અને તેનો કદી અભાવ થતો નથી . તે જાણી  લેવું જોઈએ . સમજવું જોઈએ . આ વાત , નિર્વિશેષ  વાદી -નિર્ગુણવાદી  તથા નિરાકારવાદી  અને સગુણવાદી  એમ બન્ને પ્રકારના તત્વદર્શીઓ દ્વારા સાર રૂપે કહેવાય છે . "ઉભયોરપી દ્રષ્ટ:"
       અર્જુન ભૌતિક સમ્બન્ધોથી મોહિત થઇ  અજ્ઞાની થઇ ગયો છે, તેને કહેવાની સાથે કૃષ્ણ દરેક દેહધારીને આ કહે છે .આરાધ્ય- જેની આરાધના કરવાની છે તે - = પરમ અને આરાધક- જે આરાધના કરે છે તે - = અંશ પ્રાણી, બે વચ્ચેના સમ્બન્ધને સમજાવે છે . જેને જેને આકાર છે ,નામ છે , તે સર્વનો નાશ છે, અને , તેથી તે "અસત " છે . તેમાં કોઈ કાળે  હોવાપણું હોતું નથી. આ હોવાપણું અને અસ્તિત્વ માટે ભાવ શબ્દ વપરાયો છે ; અને ; "સત " જે કદિ  નાશ પામતું નથી, ક્યારે ય પરિવર્તન પામતું નથી, કોઈ પણ કાલે જેમનું તેમ જ રહે છે ; જેનું ન હોવાપણું થાતું નથી, તેને માટે "અભાવ" શબ્દ કહ્યો છે .
     આ "સત "ના લગભગ 21 લક્ષણો છે . એના નામ ઉપરથી જ સમજાય છે કે તે સત  છે; અને દેહ અસત છે . આપણે ઝડપથી આ લક્ષણોના નામ જોઈએ . 
     અવિનાશી , અવ્યય , નિત્ય , અપ્રમેય , --જેને પ્રમાણની જરૂર નથી -- , સ્થાણું =સ્થિર , અવ્યક્ત= જોઈ કે સ્પર્શી ન શકાય , આ નાશીન , અ  જન્મા , શાશ્વત , પુરાતન , અચ્છેદ્ય , અચલ , અચિંત્ય , અ  વધ્ય  , અ  દાહ્ય , અ  ક્લેદય= ભીંજવી ન શકાય , આઅ શોષ્ય = સુકવી ન શકાય કે સુકાઈ ન જાય તેવો , સર્વગત::= બધે વ્યાપ્ત , સનાતન , અ  વિકારી અને અ હન્ય .
     આમ આ લક્ષણો ઉપરથી જ થોડી સમજ તો પડી જ જાય કે , તે નિત્ય છે ;માટે સત  છે અને દેહ, જેનો ક્રમે ક્રમે નાશ થાય જ છે તે અસત  છે .   એક પદ છે ; " સતનું ચિંતન રે કરવું , સતવાયક નિષ્ચય ઉચ્ચરવું " આખા  પદ માં સત્ય  વિષે જણાવ્યું છે . સત્ય કર્મ કરવું, જૂઠું ન બોલવું વિગેરે . 
       તો , હું જે સમજી છું તે અહીં કહ્યું અને તે કૃષ્ણાર્પણ  કરીને વિરમું છું . 
     જય  શ્રી કૃષ્ણ .